Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

આટકોટમાં ૧૯માં પાટોત્સવની ઉજવણી

આટકોટઃ ૧૯માં પાટોત્સવ પ્રસંગે આજુબાજુના હરિભકતોએ હાજરી આપી હતી. પ્રાતઃ કાળમાં ઠાકોરજી મહારાજનો અતિ દિવ્ય રીતે પવિત્ર પંચામૃત દ્વારા અભિષેક સપન્ન થયો ત્યારબાદ ચંદન ચર્ચીને સ્નાન થયું. બાદમાં હરિભકતો - સંતોની વિશાળતાસભર ભાવનાથી ઠાકોરજીને ભવ્ય અન્નકૂટ અર્પિત થયો. તેમજ પ્રાસંગિક સભામાં પ.પૂ. સદ્દ શ્રી સંતદાસજી સ્વામીએ પ્રવચન આપ્યુ હતું. સભાનાં અંતે સંતો દ્વારા સન્માનિત કરાયા હતા. ભાવિકોએ બપોરના ઠાકોરજી મહારાજનો મહાપ્રસાદ લીધેલ હતો. આગામી ર૦ દ્વિવિશંતિ મહોત્સવની પણ ભવ્ય રીતે ઉજવવાની પૂ. ગુરૂદેવ શ્રી સંતદાસજી સ્વામીએ જાહેરાત કરી છે. (તસ્વીર-અહેવાલ કરશન બામટા - આટકોટ)

(11:46 am IST)