Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ભાણવડના નવાગામે દલિત સમાજનું લોકાર્પણ

ભાણવડ : ભાણવડના નવાગામ ખાતે બનાવવામાં આવેલ દલિત સમાજ ભવનના લોકાર્પણ તેમજ બંધારણના ઘડવૈયા બાબા આંબેડકરની પ્રતિમાનો અનાવરણ કાર્યક્રમ યોજાઇ ગયો. નવાગામ ખાતે આશરે ત્રણ વિઘા જગ્યામાં નિર્માણ પામેલ દલિત સમાજ ભવનનું લોકાર્પણ રાખવામાં આવેલ જે દરમ્યાન આંબેડકરની પ્રતિમાનું અનાવરણ પર રવામાં આવેલ. દલિત સમાજ દ્વારા ભાણવડ સેવાસદન ખાતેથી પ્રતિમા વિશાળ બાઇક રેલી સાથે દલિત વિસ્તારોમાં ફેરવી હતી અને ઠેર-ઠેર પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા. બાબા આંબેડકરની પ્રતિમા વેરાડ ગેઇટ પહોંચી હતી જયાં મુસ્લિમ આગેવાનો દ્વારા પણ ફુલહાર કરવામાં આવ્યા હતાં. રેલીમાં રાણાવાવ, પોરબંદર, કુતિયાણા, આદિત્યાણા સહિતના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો જોડાયા હતા અને દલિત સમાજની એકતા અને શકિતનું પ્રદર્શન કરેલ હતું. નવાગામ ખાતે રાત્રે દલિત સમાજ ખાતે જમણવાર બાદ લોક સાહિત્યકાર વિશનભાઇ કાથડ અને શોભનાબેન દાફડાએ ભીમભજનનું રસપાન કરાવ્યું હતું.

(11:45 am IST)