Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ખારચીયા પાસે કાર પલ્ટી ખાઇ જતાં ભાવનગરના ત્રણને ઇજા

જયેશ, અમિત અને રવિને રાજકોટ સારવાર અપાઇ

રાજકોટ તા. ૨: રાજકોટના સરધાર નજીક ખારચીયા પાસે રાત્રીના કાર પલ્ટી ખાઇ જતાં ભાવનગરના ત્રણ યુવાનને ઇજા થઇ હતી.

ભાવનગર ગાયત્રીનગરમાં રહેતાં અમિત અનિલભાઇ લાલચંદાણી (ઉ.૨૨), રવિ અશોકભાઇ આહુજા (ઉ.૩૦) અને જયેશ લક્ષ્ભીભાઇ ચંદાણી (ઉ.૩૫) કારમાં બેસીને જતાં હતાં ત્યારે ખારચીયા પાસે કાર પલ્ટી ખાઇ જતાં ત્રણેયને ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે આટકોટ પોલીસને જાણ કરી હતી.

(11:40 am IST)