Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ભાવનગરમાં ૬૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૨૬ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૭,૦૩૧ કેસો પૈકી ૪૨૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર : ભાવનગર જિલ્લામા આજરોજ ૬૦ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૭,૦૩૧ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૨૯ પુરૂષ અને ૧૪ સ્ત્રી મળી કુલ ૪૩ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં સિહોર ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, ઉમરાળા તાલુકાના વાંગધ્રા ગામ ખાતે ૧, સિહોર તાલુકાનાં સણોસરા ગામ ખાતે ૩, તળાજા તાલુકાનાં ઠળિયા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના રામધરી ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના રાજપરા ગામ ખાતે ૧, મહુવા ખાતે ૧, ગારીયાધાર તાલુકાના વેળાવદર ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના કોબડી ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના લંગાળા ગામ ખાતે ૨, પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામ ખાતે ૧, તળાજા તાલુકાના સથરા ગામ ખાતે ૧ તેમજ ઉમરાળા તાલુકાનાં રંઘોળા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧૭ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. 
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૧૮ અને તાલુકાઓમાં ૮ કેસ મળી કુલ ૨૬ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૭,૦૩૧ કેસ પૈકી હાલ ૪૨૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા ૭૧ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(9:11 pm IST)