Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

જૂનાગઢ જિલ્લામાંથી મુખ્યમંત્રી રાહતફંડમાં રૂ.૧૫.૨૦ લાખની સહાયતા

જૂનાગઢ તા.ર : કોરોનાં વાયરસ સંદર્ભે લોકોને ઉપયોગી થવા મુખ્યમંત્રી રાહતફંડમાં સમાજશ્રેષ્ઠીઓ, ધાર્મિક, સ્વેચ્છીક, સામાજીક, સેવાભાવી સંસ્થાઓ તેમજ વ્યકિતગત લોકો દાન આપી રહ્યા છે. જેમાં તા. ૩૧ માર્ચ સુધીમાં જૂનાગઢ જિલ્લાની વિવિધ સંસ્થાઓ દ્વારા કુલ રૂ. ૧૫૨૦૩૨૨/નું દાન પેટે મળેલ છે. જિલ્લા કલેકટરને ચેક દ્વારા આ નાણાં વિવિધ સંસ્થાઓ આપેલ છે. મુખ્યમંત્રીશ્રીનાં રાહતફંડમાં દાન આપનાર દાતાશ્રીઓમાં રૂ. ૧૧ લાખ શ્રી સ્વામિનારાયણ મુખ્યમંદિર જૂનાગઢ, ભુતનાથ મહાદેવ મંદિર રૂ. એક લાખ, વનરાજ પ્રોટીન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી રૂ. એક લાખ, ચાપડીયા મેડીકલ હોસ્પીટલ તરફથી રૂ. એક લાખ, મધુરમ કન્સ્ટ્રકશન તરફથી રૂ. એકાવન હજાર, ભીખુદાનભાઇ ગઢવી તરફથી રૂ. એકાવન હજાર,  પરશુરામ ફાઉન્ડેશન તરફથી રૂ. અગીયાર હજાર, સપના એસ.ગજ્જર તરફથી રૂ. ૫૧૦૦/ તેમજ પરોશતમ મોઢવાડીયા અને વી.એમ. સોલંકી તરફથી રૂ. ૧૧૦૦/ મળીને કુલ ૧૫ લાખ ૨૦ હજાર ૩૨૨ રૂપિયાનું જૂનાગઢ જિલ્લામાંથી દાન પ્રાપ્ત થયુ છે.

(11:47 am IST)