Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

જુનાગઢ ગીરનાર અંબાજી મંદિરના મહંત પૂ. તનસુખગીરીબાપુ દ્વારા કિટનું વિતરણ

જુનાગઢઃ હાલ કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. આ સ્થિતી વચ્ચે ગરીબ પરીવારો અને રોજે રોજ કમાઇને ગુજરાન ચલાવતા લોકો માટે કપરા દિવસો આવ્યા છે ત્યારે ગિરનાર અંબાજી મંદિરના મહંત મોટાપીરબાવા તનસુખગીરીબાપુ દ્વારા આજે જુનાગઢમાં જવાહર રોડ સ્થિત ભીડ ભંજન મહાદેવ મંદિર ખાતે જરૂરતમંદ લોકોને રાશનકિટનું વિતરણ કર્યું હતું. લોટ, બટેટા, તેલ, ખાંડ સહિતની ખાદ્ય વસ્તુઓની કીટ બનાવવાની સેવા કિશોરભાઇ ચૌહાણે આપી હતી. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:32 am IST)