Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

સુરેન્દ્રનગરમાં વાળંદ યુવાને કર્યો આપઘાત

વઢવાણ,તા. ૨: સુરેન્દ્રનગર શહેરમાં આત્મહત્યાના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે ત્યારે આત્મહત્યા પાછળનું કારણ જો હોય તો બેરોજગારી છે.

હાઉસિંગ બોર્ડમાં રહેતા બીપીનભાઇ ભૂવા નામના વાણંદ યુવાને પોતાના ઘરે દોરડું બાંધી અને આત્મહત્યા કરી લેવાનો બનાવ બનવા પામ્યો છે બનાવના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા કારણ હાલમાં જાણવા મળ્યું નથી પરંતુ પોલીસ તપાસ ચાલુ છે બીપીન ભુવાનો નો મૃતદેહ ઉતારી અને પંચનામું કરી અને જેને પીએમ માટે મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે તપાસ વઢવાણ પોલીસ ચલાવી રહી છે.

(11:51 am IST)