Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

વાંકાનેરમાં વ્યાજખોરો સામે પગલા ભરવા પોલીસ ટીમે અરજદારોને સાંભળ્યા

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર :.. વાંકાનેર શહેર અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વ્યાજંક વાદીઓને ઝેરયાને ગરીબોને દબાવી વ્યાજના પૈસા એકના ૧૦ ગણા ઉઘરાણા કરતા વ્યાંજક વાદીઓ સામે પગલા ભરવા અને વ્યાજ ચક્રવ્યુમાંથી છૂટકારો મેળવવા અને લોકો ધંધો રોજગાર મેળવવા રાષ્ટ્રીય કૃત બેંકો અને નાગરીક સહકારી બેંકો દ્વારા ઓછા  વ્યાજની લોન માટે માર્ગદર્શન અપાયુ હતું.

વાંકાનેર પીઆઇ કે. એમ. છાસીયા ત્થા સીપીઆઇ શ્રી તાલુકા અને સીટી પોલીસ ત્થા સ્ટાફ દ્વારા વિવિધ બેંકના વહીવટી અધિકારી, ચેમ્બરના પ્રમુખ તથા વેપારીઓ તેમજ શહેર તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકોએ હાજર રહીને વ્યાંજકવાદીઓ ફરીયાદો જાહેરમાં કરી તે માટેનું ટેબલ પણ ફરીયાદ માટે રખાયેલ આ સુંદર આયોજનમાં વિવિધ પત્રકારો - મીડીયા કર્મી જોડાયા હતાં. અનેક અરજદારોએ વ્યાજખોરો સામે રજૂઆતો કરી હતી

(12:30 pm IST)