Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

કાલે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વિશ્વકર્મા જયંતી મહોત્‍સવ ઉજવાશે

જુદા-જુદા ધાર્મિક કાર્યક્રમો : મહાઆરતી, મહાપ્રસાદમાં ભાવિકો જોડાશે

રાજકોટ,તા. ૨ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કાલે વિશ્વકર્મા જયંતી મહોત્‍સવ ઉજવાશે.જૂનાગઢ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ : શ્રી વિશ્વકર્મા ભગવાનનું ભવ્‍ય મંદિર તથા સમાજ આવેલ છે. આ સમાજ ગુર્જર સુથાર સમાજ તરીકે ઓળખાય છે. સમાજ દ્વારા જન્‍માષ્ટમી, શિવરાત્રી અને દિવાળીથી પરિક્રમા દરમિયાન પૂનમ સુધી અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. અને યાત્રાળુ માટે ઉતારાવની વ્‍યવસ્‍થા કરવામાં આવે છે.

ᅠઅન્‍ય પ્રવૃત્તિઓમાં સમૂહ લગ્ન, આદર્શ લગ્ન, વિદ્યાર્થી સન્‍માન સમારોહ, ઇનામ વિતરણ, ᅠશ્રી વિશ્વકર્મા દાદાની જન્‍મ જયંતીની ઉજવણી જેવા અન્‍ય સમાજના કાર્યક્રમો આયોજન કરવામાં આવે છે. ᅠઆગામી તારીખ ૩થી ફેબ્રુઆરી ને શુક્રવાર એટલે કે સૃષ્ટિના સર્જનહાર જેનો દરેક શાષાો પુરાણમાં ઉલ્લેખ છે તેવા શ્રી ગુર્જર સુથાર સમાજ પરિવારના ઇષ્ટદેવ એવા શ્રી વિશ્વકર્મા દાદાની જન્‍મ જયંતી આ દિવસે જુનાગઢ તાલુકા, શહેરો, ગામડાથી આશરે ૧૫૦૦થી પણ વધારે સમાજ એકત્રિત થઈને દાદાની જન્‍મ જયંતી અને મહા મહોત્‍સવ ઉજવાશે.

તારીખ ત્રીજી ફેબ્રુઆરીના રોજ શ્રી વિશ્વકર્મા ભગવાન જન્‍મ જયંતીના આ દિવસે સવારે પૂજન અર્ચન, મંદિરે ધ્‍વજારોહણ સવારે ૯:૩૦ થી રથયાત્રા તેમજ સમાજની સાધારણ સભા, ᅠબપોરે સમૂહ ભોજન, સાંસ્‍કૃતિક કાર્યક્રમ વગેરે કાર્યક્રમો સાથે વિશ્વકર્મા જયંતી ધામધૂમથી ᅠઉજવવામાં આવશે. આ દિવસે સમસ્‍ત ગુર્જર સમાજના પરિવાર સમાજને સહ પરિવાર ઉત્‍સવમાં જોડાવા અનુરોધ કરાયો છે.

સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં પર્સનલ આર્ટ્‍સ એટલે કે ડાન્‍સ, કોથળા દોડ, લીંબુ ચમચી દોડ, મ્‍યુઝિકલ ચેર જેવા કાર્યક્રમોમાં બાળકો ભાગ લઈ શકશે. ᅠભાગ લેવા માટે બાળકોએ ૩૦મી જાન્‍યુઆરી સુધીમાં નામ નોંધાવવા સુનિલભાઈ પંચાસરા મોબાઈલ ૯૪૨૮૨ ૪૦૬૯૭ તેમજ મેહુલ વડગામા મોબાઈલ ૭૯૯૦૧૮૬ ૮૬૨૯૮ તેમજ વધુ માહિતી માટે શ્રી વિશ્વકર્મા સમાજ ગુર્જર સુથાર જ્ઞાતિ ગિરનાર દરવાજા જૂનાગઢના પ્રમુખ રાજેશભાઈ કરગથરા મોબાઈલ ૮ ૦૦૦૦ ૫૫૮૬૬, મંત્રી વિનુભાઈ સીતાપરા તેમજ ઉપપ્રમુખ કનુભાઈ સીતાપરાનો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

ધોરાજી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી : દેવતણખી ધામ મજેવડી ખાતે શ્રી વિશ્વકર્મા દાદા ના મંદિર ખાતે દેવતણખી ધામના પુજારી શ્રી વિઠ્ઠલભાઈ દવે દ્વારા વૈદિક મંત્રોચ્‍ચાર સાથે વિશ્વકર્મા દાદા નું પૂજન અર્ચન અને મહા આરતી સાથે વિશ્વકર્મા જયંતીનો પ્રારંભ થશે.

ᅠઆ પ્રસંગે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી અને ગુજરાત પ્રદેશના મહામંત્રી કિશોરભાઈ રાઠોડ તેમજ દેવતણખી ધામના પ્રમુખ શાંતિભાઈ ગોહિલ લુહાર સમાજના અગ્રણી ઉમેદભાઈ મકવાણા જેતપુર વાળા દેવતણખી ધામના રાજુભાઈ પિત્રોડા ગોંડલ રમેશભાઈ કારેલીયા જુનાગઢ ભીખાભાઈ પીઠવા મજેવડી અતુલ ભાઈ મકવાણા જુનાગઢ પ્રવીણભાઈ કારેલીયા જુનાગઢ ભીખાભાઈ ડોડીયા નવાગઢ જેતપુર વિગેરે મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે અને વિશ્વકર્મા દાદાનું પૂજન સાથે મહાઆરતી દિવ્‍ય લાભ લેશે. આ પ્રસંગે આવેલ મહેમાનોનું દેવતણખી ધામ મજેવડીના પ્રમુખ શાંતિલાલ ગોહિલ તેમજ રમેશભાઈ કારેલીયા વગેરે ટ્રસ્‍ટીઓ દ્વારા વિશ્વકર્મા જયંતી ઉત્‍સવ ઉજવવા માટે તળાવમાં તૈયારીઓ ચાલી રહી છે. તેમજ મોટી સંખ્‍યામાં ગુજરાત ભરમાંથી લુહાર પંચાલ વિશ્વકર્મા સમાજના લોકો વિશ્વકર્મા જયંતી મહોત્‍સવ પ્રસંગે પધારશે.

(11:27 am IST)