Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

કેશોદના મઢડા સોનલધામ ખાતે આઇશ્રી બનુમા મુર્તિ પ્રતિષ્‍ઠા અનાવરણ આરતી મહાપ્રસાદ સંતવાણી સહિતના કાર્યક્રમો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨ : કેશોદ નજીક આવેલ મઢડા સોનલ ધામ ખાતે આગામી તા. ૩ને શુક્રવારના રોજ પ.પૂ.આઇશ્રી બનુમાં મૂર્તિ પ્રતિષ્‍ઠા અનાવરણ પ્રથમ વાર્ષિક પુણ્‍યતિથિની ઉજવણી કરવામાં આવનાર છે.

જેમાં સવારે ૬:૩૦ કલાકે આરતી તેમજ હોમાત્‍મક નવચંડી દેવી મહાયાગ બપોરે મહાપ્રસાદ અને ૧ કલાકે પૂ. બનુઆઇમાં પ્રતિમા સ્‍થાપન શતાબ્‍દી મહોત્‍સવ અંગેની પ્રથમ ચરણની સભામાં ગાંધીનગરથી વી.એસ.ગઢવી અમદાવાદથી એસ.કે.લાંગા તેમજ દ્વિતીય ચરણ (સભા)માં રાજેન્‍દ્રભાઇ હેમુભાઇ ગઢવી રાજકોટ સહિતના વક્‍તાશ્રીઓ વકતવ્‍ય આપશે.

રાત્રે ૯:૩૦ કલાકે સંતવાણીના કાર્યક્રમમાં હરસુરગીરી ગોસ્‍વામી, હરીભાઇ ગઢવી (કચ્‍છ) હરેશદાન ગઢવી, સહિતના કલાકારો લોકસાહિત્‍ય સંતવાણીમાં પોતાની કલારસ પિરસશે કાર્યક્રમ અંગે સંપર્ક સુત્ર દાદુભાઇ, આશિષભાઇ,ગિરીશ  આપા મો. ૯૯૨૪૮ ૩૨૬૧૦ સંભાળી રહ્યા છે. આ કાર્યક્રમમાં પ.પૂ.માતાજીઓ સંતો મહંતો સામાજીક અગ્રણી ચારણ સમાજના ભાવિકો ભકતો ઉપસ્‍થિત રહે. તો સૌ ધર્મ પ્રેમી જનતાને ઉપસ્‍થિત રહે ધર્મ લાભ પ.પૂ. આઇશ્રી કંચનમાં સોનલધામ-મઢડાએ નિમંત્રણ પાઠવ્‍યા છે.

(10:40 am IST)