Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

સોમનાથ મંદિર પાસે ગટરના પાણી ઘરમાં આવે છે !!

 પ્રભાસ પાટણઃ સોમનાથ મંદિર પાસે પઠાણવાડા વિસ્તારમાં રસ્તાનું કામ કરવામાં આવતા આ વિસ્તારની ગટર બંધ થઇ જતા ગટરનું ગંદુ પાણી રસ્તા પર અને રસ્તા પરથી ઘરમાં આવવા લાગતા પઠાણવાડામાં રહેતા ર૦ પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. આ બાબતે તાકીદે યોગ્ય કરવા અબ્દેરહેમાન હુશેન મન્શુરીએ નગરપાલિકા ચીફ ઓફિસરને રજુઆત કરી તાકીદે ગટરનું કામ હાથ ધરવાની માંગ કરી છે. તસ્વીરમાં ઓપન ગટર તથા પાણી નજરે પડે છે.

(11:23 am IST)