Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

નવલખી પોર્ટમાં ટ્રક પર તાલપત્રી બાંધતી વખતે વિજકરંટથી ઝારખંડના યુવાનનું મોત

મોરબી તા. ૨: માળીયા મિંયાણાના નવલખી પોર્ટ પર ટ્રક ઉપર તાલપત્રી બાંધતી વખતે ઉપરથી પસાર થતાં વિજતારને હાથ અડી જતાં કરંટ લાગતાં ઝારખંડના ટ્રક ડ્રાઇવર યુવાનનું મોત નિપજ્યું છે. બિરેન્દ્ર યાદવ (ઉ.૨૨) નામનો મુળ ઝારખંડનો યુવાન નવલખી પોર્ટ પર ગત રાત્રે ટ્રક પર ચડી તાલપત્રી બાંધતો હતો ત્યારે કરંટ લાગતાં ટ્રક પરથી નીચે પટકાયો હતો. બેભાન હાલતમાં તેને મોરબી અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ માળીયા મિંયાણા પોલીસને જાણ કરી હતી. (૧૪.૭)

 

(11:00 am IST)