Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

મોરબીના જોધપર નદી પાસે વિનુભાઇ સુરેલા ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યાઃ શંકાસ્પદ મોત

વૃધ્ધ વાડીએથી ચાલીને ઘરે આવતા 'તાઃ કારણ જાણવા ફોરેન્સીક પીએમ કરાશે

રાજકોટ, તા.૨: મોરબીના જોધપર નદી ગામ પાસે વાડીએથી ઘરે આવતા વૃધ્ધ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તેનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત નિપજયું હતું. મળતી વિગત મુજબ જોધપર નદી ગામમાં રહેતા વિનુભાઇ દેવાભાઇ સુરેલા (ઉ.વ.૬૫) ગઇકાલે પોતાની વાડીએથી ચાલીને ઘરે આવતા હતા ત્યારે ગામ પાસે માથા તથા પેટના ભાગે ઇજા પામેલી હાલતમાં મળી આવતા તેને સારવાર માટે મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક વિનુભાઇ છ ભાઇ અને ત્રણ બહેનમાં ત્રીજા નંબરના હતા. વૃધ્ધનું કયા કારણોસર મૃત્યુ નિપજયુ તે અંગેનું કારણ જાણવા ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે. આ અંગે મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:52 pm IST)