Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

માળીયા હાટીનાના ચંદ્રનગર નવા વાંદરવડ ગામે શનિવારથી ચંદ્રેશ્વર મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ત્રિ દિવસીય ધર્મોત્સવ મહાયોગ કાનગોપી સહિતના આયોજનો પૂ. ઇન્દ્રભારતી બાપુ આશિવર્ચન આપશે

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ,તા. ૧ : માળીયા હાટીના તાલુકાના ચંદ્રનગર (નવા વાંદરવડ) આગામી તા. ૪ ડીસે.ને શનિવારથી  ૬ ડીસે. રવિવાર સુધી શિવ દરબાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને મહાયજ્ઞનું આયોજન કરાયું છે.

ચંદ્રેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શનિવારે શુભારંભ થશે. તેમજ રવિવારે રાત્રે ૯ કલાકે કાનગોપીનો કાર્યક્રમ જેવા જૂનાગઢ રૂદેશ્વર જાગીર ભારતી આશ્રમના શ્રી મહંત પૂ. ઇન્દ્રભારતી બાપુ દર્શનીય લાભ આપી આશિવર્ચન આપશે અને રવિવારે શિવ દરબારની શાસ્ત્રોકત વિધી સાથે પ્રતિષ્ઠા થશે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આહિર સમાજના અગ્રણી અને જૂનાગઢ ક્રિષ્ના હોટલના સંચાલક નારણભાઇ ભેટારીયા અને સમસ્ત ગ્રામજનો જહેમત ઉઠાવી રહ્યા છે.

(12:38 pm IST)