Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ધોરાજી લેઉવા પટેલ જાગૃતિ મંડળ દ્વારા 22 મો સમૂહ લગ્ન મહોત્સવ તારીખ 8 મેના રોજ યોજાશે

વહેલા તે પહેલા ના ધોરણે 41 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી લેઉવા પટેલ જાગૃતિ મંડળ દ્વારા આગામી તારીખ 8/ 5/ 2022 ને રવિવારના રોજ 22 મો સમુહ લગ્ન મહોત્સવ યોજાશે

ધોરાજી લેવા પટેલ જાગૃતિ મંડળ સમુહ લગ્ન મહોત્સવ સમિતિ દ્વારા યોજાયેલ બેઠકમાં સંસ્થાના પ્રમુખ સ્વ.રામજીભાઈ માથુકિયા નું દુઃખદ અવસાન થતા મિટિંગમાં પ્રથમ તેમને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી અને લેવા પટેલ જાગૃતિ મંડળ નવા પ્રમુખ તરીકે પ્રવીણભાઈ સુદાણી ની નિમણૂક કરવામાં આવી હતી જેમના અધ્યક્ષ સ્થાને આગામી તારીખ 8/ 5/ 2022 વૈશાખ વદી રવિવારના રાત્રિના 41 નવદંપતીઓ સમૂહ લગ્નમાં ભાગ લેશે તે બાબતે વ્યવસ્થાના ભાગરૂપે ખાસ મિટિંગ યોજાઈ હતી
બેઠક માં પ્રવીણભાઈ સુદાણી જયસુખભાઈ કોયાણી નરસિંહભાઈ પાઘડાર ધીરુભાઈ કોયાણી ડી કે અંટાળા પોપટભાઈ વૈષ્ણવ મનુભાઈ રાજહંસ જે પી વઘાસિયા રસિકભાઈ વૈષ્ણવ રાજુભાઈ હિરપરા એ કે જાગાણી ખીમજીભાઈ પાદરીયા  વિગેરે ઉપસ્થિત રહ્યા હતા
બેઠકમાં 22 મો સમુહ લગ્ન મહોત્સવ તારીખ 8/ 5/ 2022  ને રવિવારના યોજવાનું નક્કી કર્યું હતું જેમાં કુલ ૪૧ નવદંપતીઓ માટે સમૂહ લગ્નની વ્યવસ્થા કરવામાં આવી છે જે બાબતે ફોર્મ ભરવા માટે ભારત ટ્રેડિંગ કંપની નરસીભાઇ પાઘડાર જંતુનાશક દવા વાળા જેતપુર રોડ ધોરાજી મો 94284 66447 તેમજ  ભારત ટ્રેડિંગ કંપની જયસુખ ભાઈ કોયાણી સ્ટેશન રોડ ધોરાજી મો 98253 75093 તેમજ સ્વરાજ પોલીમર્સ પ્રવીણભાઈ સુરાણી ખાતે ફોર્મ ભરી શકાશે જે અંગે ધીરુભાઈ કોયાણી એ યાદીમાં જણાવ્યું હતું

(8:22 pm IST)