Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

જામનગરમાં પીએસઆઇની બદલીનો ગંજીફો ચીપાયો:10 પીએસઆઇની આંતરિક ફેરબદલીઓ કરાઇ

જામનગર :જિલ્લા પોલીસ તંત્રમાં ફેરબદલીઓનો દોર યથાવત રહ્યો છે. હજુ થોડા સમય પહેલા જ પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની સામૂહિક બદલીઓ કરવામા: આવ્યા બાદ આજે જિલ્લાના 10 પોલીસ સબ ઇન્સ્પેકટરોની આંતરિક ફેરબદલી કરવામાં આવી છે.

જિલ્લા પોલીસ અધિક્ષક દિપેન ભદ્રન દ્વારા કરવામાં આવેલા આદેશ અનુસાર હાલ સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ કે.આર.સિસોદિયાને મેધપર પોલીસ સ્ટેશનમાં બદલવામાં આવ્યા છે. જ્યારે મેધપરમાં ફરજ બજાવતા ડી .એસ. વાઢેરને લાલપુર પોલીસ સ્ટેશનમાં બી. એસ. વાળાની જગ્યાએ મુકવામાં આવ્યા છે. જ્યારે વાળાને પંચ એ પોલીસ સ્ટેશનમાં નિમણૂક આપવામાં આવી છે. 

 ધ્રોલ પોલીસ સ્ટેશનના સી.એમ.કાંટેલિયા પંચ બી મા મુકવામાં આવ્યા છે. ઉદ્યોગનગર ચોકીના એમ.એન.જાડેજાને ધ્રોલ પંચ બીના જે.ડી.પરમારને સિક્કા જામજોધપુરના કે.વી.ઝાલાને શેઠવડાળા જ્યારે શેઠવડાળાના એ.ડી.વાળાને જામનગરમાં ટ્રાફિક શાખામાં મુકવામાં આવ્યા છે. પંચએ પોલીસ સ્ટેશનના ડી.પી.ચૂડાસમાને ઉદ્યોગનગર ચોકી જ્યારે જામનગર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા વૈશાલી એ.આહિરને જામજોધપુરમાં સેક્ધડ પીએસઆઇ તરીકે નિમણૂક આપવામાં આવી છે.

જ્યારથી જામનગરના પોલીસ અધિક્ષક તરીકે દિપેન ભદ્રનની નિમણૂક કરવામાં આવી છે. ત્યારથી જિલ્લા પોલીસ તંત્રમાં મોટાપાયે ફેરબદલીઓ કરવામાં આવી રહી છે. આવતાની સાથે જ જિલ્લામાં બે નવા પીઆઇની નિમણૂક કરવામાં આવી હતી. જેમને મહત્વની પોસ્ટીંગ આપવામાં આવ્યા બાદ કોન્સ્ટેબલની બદલીઓનો ઘાણવો કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે પીએસઆઇની બદલીનો ગંજીફો ચીપવામાં આવ્યો છે.

(7:27 pm IST)