Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

જુનાગઢમાં ગુરૂનાનક જયંતિ નિમિતે દર્શનનો પરિવાર સાથે લાભ લેતા ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર

 જુનાગઢ : ગીરનાર દરવાજા સ્થિત શ્રી ગુરૂનાનક મહારાજના પપ૧ માં જન્મ મહોત્સવની શિખ સમુદાય દ્વારા ઉજવણી કરવામાં આવેલ  આ પ્રસંગે જુનાગઢ રેન્જના ડીઆઇજી શ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર પરિવાર સાથે ગુરૂદ્વારે જઇ દર્શન અને લંગરમાં પ્રસાદનો લાભ લીધો હતો. આ પ્રસંગે શ્રી પવારે જણાવ્યું હતું કે ગુરૂનાનક દેવજીના કુલ પર્વના પવિત્ર પર્વ જન્મ જયંતિ નિમિતે જૂનાગઢ જિલ્લાની જનતાને શુભેચ્છા પાઠવુ છું કે આવનાર વર્ષ અને આવનાર સમય આપના  માટે મંગલમય થાય અને હાલ આપણે સૌ કોવિડની મહામારી સામે લડી રહ્યા છે. અને આ મહામારીને પ્રયત્નો દ્વારા વહેલી તકે ડામી દેવામાં આવે તેવી પ્રાર્થના કરૂ છું. આ ઉત્સવ દરમ્યાન અખંડ પાઠ મહાપ્રસાદનું આયોજન પણ કરાયુ હતું જેમાં ખુદ ડીઆઇજી શ્રી મનિન્દર પ્રતાપસિંહ પવારે પણ આખા પરિવાર સાથે દર્શને આવ્યા ત્યારે માસ્ક પહેરી ને આવેલ તેમજ સોશ્યલ ડીસટન્સ જાળવી સૌને આ કોરોનાની મહામારી સામે જાગૃત કર્યા હતાં. અને આ મહામારી દરમ્યાન સૌને માસ્ક પહેરી રાખવા તેમજ સેનેટઇઝ થઇ સોશ્યલ ડીસટન્સ જાળવી રાખવા અપીલ કરી હતી.

(11:51 am IST)