Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

કચ્છની કોમી એકતાના હિમાયતી અંજારના પીર મખદુમઅલીનું નિધન

(વિનોદ ગાલા દ્વારા(ભુજ) :::કચ્છની કોમી એકતાના હિમાયતી અને સામાજિક ધાર્મિક સેવાકીય ક્ષેત્રે નોંધનીય પ્રદાન આપનાર અંજારના પીર મખદુમઅલી હાજી તકીશા બાપુનું ટુંકી બીમારીથી અવસાન થયું છે. તેમની રાહબરી હેઠળ છેલ્લા ૩૫ વર્ષથી સર્વધર્મ સમભાવ માનસ મહોબ્બત મજલીસ સમગ્ર ગુજરાતમાં કોમી એકતા માટે બેમિસાલ સંદેશ પ્રસરાવી રહી હતી. તેમના દુઃખદ નિધનથી હિન્દુ મુસ્લિમ સમાજના સામાજિક, રાજકીય અને ધાર્મિક આગેવાનોએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે.

(9:26 am IST)