Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

વરતેજના સોડવદરામાં પરણીતાને મારવા મજબુર કરવાના ગુન્હામાં પતિ- જેઠાણીને સાત વર્ષની સજા

વરતેજ તાબેના સોડવદરા ગામે રહેતી પરણીતાને શારીરિક માનસિક ત્રાસ આપી મરવા મજબુર કરવાના ગુનામાં કોર્ટ પતિ તથા જેઠાણીને સાત વર્ષની સજા ફટકારી હતી.

  બનાવ અંગેની વિગ્તો પ્રમાણે વરતેજ તાબેના સોડવદરા ગામે રહેતી પરણીતા વર્ષાબેનને તેનો પતિ ભગવાન જીણાભાઈ ચૌહાણ અને જેઠાણી અસ્મિતા લક્ષ્‍મણભાઈ ચૌહાણ નાની-નાની વાતોમાં વારંવાર શારીરિક - માનસિક ત્રાસ આપતા હતા જે સહન ન થતા ગત તા. ૧૩-૯-ર૦૧૭ના રોજ વર્ષાબેને કેરોસીન છાંટી સળગી જઈ આપઘાત કરેલ.

 આ અંગે પતિ ભગવાન ચૌહાણ તથા જેઠાણી અસ્મિતા વિરૂધ્ધ ફરિયાદ નોંધી ધરપકડ કરેલ આ બનાવનો કેમ ભાવનગરના સેશન્સ જજ સુભદ્રાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો લેખીત, મૌખિક પુરાવાઓના આધારે કસુરવાર માની બન્ને સાત-સાત વર્ષની સજા ફટકારી હતી.

(12:25 am IST)