Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

પડધરીના મોવીયામાં દલીત પરણીતાને આપઘાત માટે મજબુર કરનાર પતિ સહિત ૫ ની ધરપકડ

રાજકોટ, તા., ૧: પડધરીના મોવીયા ગામે દલીત પરીણીતાને આપઘાત માટે મજબુર કરનાર પતિ અને સાસરીયા સામે પોલીસમાં ફરીયાદ થતા પોલીસે પતિ સહિત પ ની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ પડધરીના મોવીયા ગામે રહેતા દલીત મનીષાબેન પ્રવિણભાઇ રાઠોડ (ઉ.વ.૩પ) એ  પરમદિ' પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મૃતક  મનિષાબેનના ૧૭ વર્ષ પુર્વે લગ્ન થયા હતા. સંતાનમાં એક પુત્રી છે. ગઇકાલે મૃતક પરિણીતાના ભાઇએ તેની બહેનની હત્યા કરાઇ હોવાનો આક્ષેપ કર્યો હતો. જો કે પોલીસ તપાસમાં આ બનાવ આપઘાતનો હોવાનું ખુલ્યું હતું.

દરમિયાન મૃતક દલીત પરીણીતાના ભાઇ ભરત માવજીભાઇ વાઘેલા (રહે. ધ્રોલ)એ તેની બહેન મનિષાબેનને આપઘાત માટે મજબુર કરનાર પતિ પ્રવિણભાઇ, સાસુ ગલાલબેન, દિયર દિલીપ ઉર્ફે દિલો, દિયર ઉપેન્દ્રભાઇ તથા દેરાણી કનલબેન સામે પડધરી પોલીસમાં ફરીયાદ થતા પોલીસે આઇપીસી ૩૦૬, ૪૯૮(એ) તથા ૧૧૪ મુજબ ગુન્હો દાખલ કરી પાંચેયની ધરપકડ કરી હતી. મૃતક પરીણીતાને પતિ અને સાસરીયા સંતાન બાબતે ત્રાસ આપતા હતા. વધુ તપાસ પડધરીના પીએસઆઇ પરમાર તથા હેડ કોન્સ્ટેબલ પુનાભાઇ ચલાવી રહયા છે.

(12:00 pm IST)