Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

રાષ્ટ્રીય જળ સંમેલનમાં ઇશ્વરીયાના મુકેશ પંડિતને આમંત્રણ

ઇશ્વરીયા તા. ૧ : ખજૂરાહો ખાતે રાષ્ટ્રીય જળ સંમેલનમાં ઇશ્વરીયાના કાર્યકર્તા શ્રી મુકેશકુમાર પંડિતને આમંત્રણ મળતા સામેલ થશે. અહીં જળપુરૂષ શ્રી રાજેન્દ્રસિંહજી સાથે અન્ના હઝારે માર્ગદર્શન આપશે.

રાષ્ટ્રીય કક્ષાએ જળ જન જોડો અભિયાન અંતર્ગત શનિવાર તા. ૨ તથા રવિવાર તા. ૩ દરમિયાન બંુદેલખંડના ખજૂરાહો ખાતે રાષ્ટ્રીય જળ સંમેલન યોજાશે. 'દુષ્કાળ મુકત ભારત હેતુ જળ સંરક્ષણ તથા નદી પુનર્જિવન' વિષય પર આ સંમેલનમાં અભિયાનના પ્રેરક જળપુરૂષ શ્રી રાજેન્દ્રસિંઘજી સાથે શ્રી અન્ના હઝારે માર્ગદર્શન આપશે. આ સંમેલનમાં ઇશ્વરીયાના કાર્યકર્તા શ્રી મુકેશકુમાર પંડિતને આમંત્રણ મળતા સામેલ થશે. અહીં કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કાર્યકર્તાઓ જોડાનાર છે.

ઉલ્લેખનીય છે કે, શ્રી પંડિત રાષ્ટ્રીય નદી નીતિ સૂચિત બંધારણ સાથે પણ જોડાયા હતા તથા ગુજરાતમાં નદી નીતિ અમલી કરવા ગુજરાત સરકાર સાથેની બેઠકોમાં પણ મહત્વની ભૂમિકામાં રહ્યા છે. અગાઉ બિહાર સરકાર દ્વારા પણ તેઓને દિલ્હી ખાતેની રાષ્ટ્રીય કાર્યશાળા બેઠક માટે સામેલ કરાયા હતા.

(11:47 am IST)