Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

જુનાગઢમાં મોટીવેટર સંજય રાવલનો સેમિનાર યોજાયો

 જુનાગઢ એગ્રીકલ્ચર સરદાર પટેલ  સભાગૃહ ખાતે મોટીવેટર સંજયભાઇ રાવલના સેમિનારનું સાંદ્રાણી પરિવાર દ્વારા અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના સુપ્રીમો ગિરીશભાઇ કોટેચાના મુખ્ય મહેમાનપદે યોજાયો હતો. જેમાં હસમુખભાઇ એમ. સાદ્રાણી, યોગેશભાઇ આયુષી સાદ્રાણી દિપ સાદ્રાણી દર્શન સાદ્રાણી અને નગરજનોની ઉપસ્થિતીમાં અદભુત વકતાશ્રી સંજયભાઇ રાવલે જણાવ્યુ હતુ. આજે ૯૦ ટકા યુવાનો હતાશ જોવા મળે છે તયારે હતાશા  છોડી વ્યસન મુકત થઇ કસરત કરો ચોપડીઓનું વાંચન કરો જે ઇશ્વર કરે મારા સારા માટે કરે તેમ માનવુ અને મેરા હે વો જાવેનહીં જાવે સોમેરાનહી તેમ માનવુ તેમણે વધુમાં જણાવ્યું હતું કે આટલા ટુકા ગાળામાં જુનાગઢમાં બીજી વાર આવવાનું થયુ અને અહીંની જનતાએ જે પ્રેમ આપ્યો તે બીજે કયાય મળ્યો નથી શ્રી રાવલના આજદિન સુધીમાં યુવા પેઢીના ઘડતર માટે ૭૦૦થી વધુ સેમીનાર કરી ચુકયા છે અને હાલમાં ર૦૦ જેટલા સેમીનારોની તારીખ નકકી થઇ ચુકી છે. (અહેવાલ વિનુ જોષી તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(11:45 am IST)