Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ભાવનગરના મહારાજા અને સરદાર વલ્લભભાઇ પટેલે દેશને જોડવાનું કામ કર્યુઃ રાહુલ ગાંધી

ભાવનગર તા. ૧ :.. ભાવનગરમાં કોંગ્રેસનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહત ગાંધીએ ભાવનગરનાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કરી જણાવ્યું હતું કે ભાવનગરનાં મહારાજાઅને સરદાર વલ્લભભાઇ પટેલ એ દેશને જોડવાનું કામ કર્યુ હતું અને મોટુ યોગદાન આપેલ. રાહુલ ગાંધી એ વડાપ્રધાન મોદી ઉપર આકરા પ્રહારો કર્યા હતાં.

ભાવનગર શહેરમાં કોંગ્રેસમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની જાહેર સભા યોજાઇ હતી. રાહુલ ગાંધીએ શરૂઆતમાં જ ભાવનગર પ્રજાવત્સલ રાજવી મહારાજ શ્રી કૃષ્ણકુમારસિંહજી અને સરદાર પટેલ ને યાદી કરી જણાવ્યું હતું કે આ બન્ને મહાનુભાવે દેશને જોડવાનું મહત્વનું યોગદાન આવ્યુ છે. જયારે ભાજપ દેશને તોડવાનું કામ કરી રહ્યું છે. ખેડૂતોનાં પ્રશ્નો, બેરોજગારી અંગે વડાપ્રધાન મોદી ઉપર પ્રહારો કરી મોદી સરકાર ઉદ્યોગપતિની સરકાર હોવાનું જણાવ્યું હતું.

રાહુલ ગાંધીની સામે ગુજરાતમાં પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ ગોહીલ, સિધ્ધાર્થ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. ભાવનગરનાં કોંગ્રેસનાં ઉમેદવારો આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

(11:44 am IST)