Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

મોરબી જિલ્લામાં સિંચાઈ કૌભાંડના આરોપી વકીલના વચગાળાના જામીન મંજુર : 3જીએ હાજર થવા આદેશ

આરોપી વકીલ ભરત ગણેશીયાને તા.૨ ના રોજ નોટરીની પરીક્ષા આપવાની હોય જામીન મંજુર

મોરબી જીલ્લામાં નાની સિંચાઈ યોજનામાં થયેલા  કોભાંડમાં અધિકારીઓ અને મળતીયાઓ બાદ પોલીસે હળવદના ધારાસભ્ય પરષોતમ સાબરીયા અને મળતિયા વકીલ ભરત ગણેશીયાને ઝડપી લઈને જેલહવાલે કર્યા છે જેમાં આરોપી વકીલે કરેલી જામીન અરજીને પગલે કોર્ટે વચગાળાના જામીન મંજુર કર્યા છે

 

 આરોપી વકીલ ભરત ગણેશીયાને તા.૨ ના રોજ નોટરીની પરીક્ષા આપવાની હોય અને તે પરીક્ષા માટે વચગાળાના જામીન અરજી એડવોકેટ દિલીપ અગેચણીયા અને એમ ડી ગણેશીયા મારફત કરી હોય અને કોર્ટે વચગાળાના જામીન મંજુર કરી રાહત આપી છે તો આરોપીએ તા. ૦૩ ના રોજ હાજર થવા આદેશ આપ્યો છે

(11:58 pm IST)