Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

પોરબંદર : વિધર્મીઓ દ્વારા હુમલાઓને વખોડતું વિહીંપ અને બજરંગદળ

પોરબંદર : ગુજરાત રાજયમા છેલ્લા ઘણા સમયથી વિધર્મીઓ દ્વારા રાજયોમાં ભાવનગરના મહુવા,કચ્છના મુંદરામાં, ગાંધીનગરના છત્રાલમાં, સુરેન્દ્રનગરના હળવદમાં વિધર્મીઓ દ્વારા હિન્દુ ઉપર થયેલ હુમલાઓ-હત્યાઓના ધૃણાસ્પદ કૃત્યો અને હત્યાઓના નરસંહારને વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગદળે વખોડી કાઢેલ છે.

રાજયમાં હિન્દુ સમાજ પરના હુમલા કદાપી શાખી નહિ લેવાય આ હુમલો કરનાર અસામાજીક તત્વોને તાત્કાલીક ઝબ્બે કરી આકરી કાર્યવાહી કરવા રાજયના ગૃહ વિભાગને તાકીદ કરી છે. રાજય સરકાર ને તાત્કાલીક પગલા ભરવાની માંગણી વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્વારા કરવામાં આવી છે. (૩.૪)

(11:42 am IST)