Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

ધોરાજી માં જામિઆ ફાતિમતુઝ્‍ઝહરા પદવીદાન સમારોહ અને આમદે મુસ્‍તફા કોન્‍ફરન્‍સ

ધોરાજી તા. ૧ : ધોરાજીમાં એક  મુસ્‍લિમ બાળઓની સંસ્‍થા, અને સમાજ સુધારક તરીકે ની કામગીરી માં આગવી ઓળખ પ્રાપ્ત કરનાર  અને સમાજમાં રહેલ કુ રિવાજ દૂર કરવાનો સંદેશ આપનાર સંસ્‍થા એવી જામિયા ફાતિમાતુઝ્‍ઝહરા દ્વારા આમદે મુસ્‍તફા કોન્‍ફરન્‍સ સાથે, જે  બાળાઓએ  ઇસ્‍લામી/દિની તાઅલિમના જુદા જુદા કોર્ષ     સંપૂર્ણ પણે પૂર્ણ કરેલ છે. તેને સનદ (સર્ટીફીકેટ) અર્પણ કરીને તેમનું સન્‍માન કરવા માટેનો પદવીદાન સમારોહ રવિવારના રોજ રાખેલ છે.

આ કાર્યક્રમના અધ્‍યક્ષ તરીકે સિરાજુલ  ફૂકહા  મુહકિક એ મસાઈલે  જદિદા  મુફ્‌તી નિઝામુદ્દીન સાબિક  સદર મુદરિસીન વ સદર શોબએ એ ઇફતા જામિઆ અશરફિયા મુબારક પુર (યુપી) તા ૨ ઓકટોબર ના રોજ  સવારે ૧૦ કલાકે  ખત્‍મ બુખારી શરીફ કરાવશે અને ઉપસ્‍થિત લોકો ને પોતાનું  પ્રવચન આપશે.

અને   બપોરે ૩ કલાકે શાહજી હોલ ખાતે  આમદે મુસ્‍તુફા કોન્‍ફરન્‍સમાં જશ્‍ને રિદા-એ-ફઝીલત વ ર્કિઅત ના મોકા પર પ્રમુખ સ્‍થાને મહિલાઓ ને  સૈયદા મિસ્‍બાહ ફાતિમી સાહેબા તથા ખાસ પ્રવચન સૈયદા મંઝર ફાતિમી સાહેબા આપશે તથા અન્‍ય મહેમાને ખુસુસી પણ પધારીને સંબોધશે.

સૈરાની એજ્‍યુકેશન એન્‍ડ વેલ્‍ફેર ટ્રસ્‍ટ - ધોરાજી અને હાજી અમીન ગાડાવાલા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટના સહયોગથી સંચાલિત આ બાળાઓની સંસ્‍થાપ જામિઆ ફાતિમતુઝ્‍ઝહરૉ છેલ્લા ૧૦ વર્ષથી કાર્યરત છે.

(1:07 pm IST)