Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

વાંકાનેરના અમીતભાઇ કોટોની હત્‍યામાં મુખ્‍ય સુત્રધાર સરફરાઝ જેલ હવાલે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર,તા. ૧ : વાંકાનેરના બિઝનેસમેન અમીતભાઇ કોટેચાની હત્‍યામાં રીમાન્‍ડ ઉપર રહેલ સરફરાઝ મકવાણાના રીમાન્‍ડ પૂર્ણ થતા કોર્ટે જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.

ગત તા. ૧૧/૯ના અમરનાથ સોસાયટીના ખુણા પાસે લોહાણા યુવાન અમિત કોટેચા (લાલા)ની હત્‍યાનો મુખ્‍ય આરોપી સરફરાજ હુશેન મકવાણાને પોલીસે ૧૫ દિવસ બાદ ઝડપી લઇ કોર્ટમાં રજુ કરી આરોપીને જુદી-જુદી જગ્‍યાઓએ આશરો આપનાર લોકો પાસેથી પુરા કાવતરાની તપાસ પોલીસે કરી ગઇ કાલે તા. ૩૦/૯ ના રોજ ત્રણ દિવસના રીમાન્‍ડ પુરા થતા કોર્ટે આરોપી સરફરાજ ને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.

આરોપી સરફરાઝને કોર્ટમાં રજુ કરાયો ત્‍યારે લોકોના ટોપા એકત્ર થયા હતા. અને આરોપી સામે રોષ જોવા મળી રહ્યો હતો.

(11:12 am IST)