Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

જામકંડોરણાના ખજુરડામાં વિકાસ કામોના લોકાર્પણ

જામકંડોરણા : ખજુરડા ગામે ગ્રા.પં. દ્વારા અનેકવિધ વિકાસના કામોનું લોકાર્પણ તથા ખાતમુહુર્તનો સમારોહ અન્ન અને નાગરીક પુરવઠા કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ તકે ખજુરડા તાલુકા શાળાના નવા બિલ્ડીંગનું તેમજ નવા બનાવેલ સી.સી.રોડ સહિતના વિવિધ કામોનું કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે લોકાર્પણ કરાયુ તેમજ નવા કરવાના થતા વિવિધ વિકાસના કામોનું ખાતમુહુર્ત મંત્રીશ્રીના હસ્તે કરાયેલ. કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ જણાવેલ કે આ તાલુકામાં વર્ષોથી વિઠલભાઇ રાદડીયાના નેતૃત્વ અંદર સૌ રાજકીય રીતે જોડાયેલ છીએ ત્યારે તાલુકાની અંદર જયા જયા મુશ્કેલીઓ પડતી હોય ત્યા આપણે એકબીજા સાથે રહી કાયમી આ તાલુકાના પ્રશ્નોનું નિરાકરણ કર્યુ છે. રાજકોટ જીલ્લા દુધ સંઘના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયાએ પ્રાસંગીક ઉદબોધન કર્યુ હતુ. આ પ્રસંગે શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ તકે ખજુરડા ગ્રા.પં. સરપંચ જમનભાઇ ડેડકીયા તથા પંચાયતના સદસ્યો દ્વારા મહાનુભાવોનુ સન્માન કરાયેલ. સમારોહ પ્રસંગે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, રાજકોટ જિલ્લા દુધ સંઘના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન વિઠલભાઇ બોરદ, તા.પં.ના પ્રમુખ ઇલાબેન પરમાર, ઉપપ્રમુખ કરશનભાઇ સોરઠીયા, તા.ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ, તા.પં. પૂર્વ પ્રમુખ પ્રતિપાલસિંહ જાડેજા, જામકંડોરણા તા. સંઘના પ્રમુખ વજુભાઇ સતાસીયા, ખજુરડાના સરપંચ જમનભાઇ ડેડકીયા, પંચાયતના સદસ્યો ખજુરડાના અગ્રણી નાથાભાઇ સોલંકી, કાનજીભાઇ પરમાર સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી. લોકાર્પણ તથા ખાતમુહુર્તની તસ્વીરો. (તસ્વીર : મનસુખભાઇ સી.બાલઘા, જામકંડોરણા)

(12:10 pm IST)