Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

જસદણમાં ૨૫૪ વિધવા વૃધ્ધ મહિલાઓને આજીવન સરકારી પેન્શનથી ઓર્ડર કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે અર્પણ

આટકોટ તા.૦૧: જસદણ સેવા સદન ખાતે આજે નિરાધાર અને વિધવા મહિલાઓ નો સહાય કેમ્પમાં જસદણ અને વિંછીયા પંથકના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત સરકાર ના માનનીય કેબીનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબ ની અધ્યક્ષતા માં આજે ૨૫૪ વિધવા અને વૃધ્ધ મહિલાઓ ને આજીવન સરકારી પેન્શન ના ઓડર માનનીય કેબીનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબ ના વર્દ હસ્ત દેવા માં આર્વ્યાં

તેમજ જસદણ સેવા સદન ખાતે તલાટી મંત્રીની ફરજ બજાવતા નીમીષાબેન ધોડકીયા રક્ષાબેન વાળા અને કોમ્પ્યુટર ઓપરેટ દેવરાજભાઈ મકવાણા ને સરકાર ની યોજના નો લાભ લાભાર્થીઓ ને વધુમાં વધુ મળે તે માટે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ કેબીનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબ ના વર્દ હસ્તે પ્રમાણપત્ર આપવામાં આર્વ્યાં

જસદણ સેવા સદન ખાતે આજે નિરાધાર અને વિધવા મહિલાઓને  સરકારીની આજીવન પેન્શન સહાય યોજના ના કેમ્પમાં હાજરી આપતા માનનીય કેબીનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબ આ કાર્યક્રમ માં જસદણ તાલુકા ના પ્રાંત અધિકારી જસદણ મામલતદાર વિ.એલ.ધાનાણી સાહેબ તેમજ જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ધીરૂભાઈ રામાણી જસદણ ભાજપ અગ્રણી રવજીભાઈ સરવૈયા હરેશભાઈ હેરભા મનસુખભાઈ જાદવ જેન્તીભાઈ જમોડ (રાજાવડલા સરપંચ) દામજીભાઈ ધડુક મહેબૂબભાઈ પઠાણ અરૂણભાઈ વધાસીયા દિનેશભાઈ હિરપરા કેતનભાઇ લાડોલા પ્રવિણભાઈ ધોડકીયા જાદવભાઈ માળવીયા દુર્ગેશભાઈ કુબાવત સહિત ભાજપ ના આગેવાનોએ હાજરી આપી હતાં

(11:50 am IST)