Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

પોરબંદર શિવમ ટયુશન કલાસવાળા વિરેનભાઇની લાશ મળીઃ મજીઠીયા પરિવારના ૩ સભ્યો હજુ લાપત્તાઃ બગવદર પાસે પાણીમાં તણાયેલાઃ કાર પણ મળી

વિરેનભાઇ મજીઠીયાને નદીના ભારે પ્રવાહમાં કાર સાથે નહીં જવા ગ્રામ્યજનોએ સમજાવેલ હતા

પોરબંદર શિવમ ટયુશન કલાસવાળા વિરેનભાઇની લાશ મળી આવી તે તસ્વીર અન્ય તસ્વીરમાં પરિવારનાં બાકીના સભ્યોની શોધખોળ કરતી બચાવ ટૂકડીની છે. છેલ્લી તસ્વીર વિરેનભાઇ કારની છે. (પ-૮)

પોરબંદર તા. ૧ :.. શિવમ કલાસવાળા વિરેનભાઇ મજીઠીયા અને તેના પરિવારના ૩ સભ્યો બગવદર પાસે નદીના ભારે પ્રવાહમાં તણાય ગયા બાદ બીજે દિવસે વિરેનભાઇની લાશ મળી આવી છે. ગઇકાલે નદી પાસે તેની કાર મળી આવી હતી. કારના તેની સાથે રહેલા પરિવારના અન્ય ૩ સભ્યો હજુ લાપતા છે તેની શોધખોળ ચાલી રહી છે.

શિવમ ટયુશન કલાસવાળા વિરેનભાઇ મજીઠીયા તથા તેના પરિવારના ૩ સભ્યો બગવદર નજીક કુંજવેલ નદી પાસે પસાર થતાં પાણીના ભારે પ્રવાહમાં તણાય ગયા બાદ આજે બીજે દિવસે કોઇ પતો મળેલ નહીં અને વિરમભાઇની કાર (જીજે-રપ જે ૪૧૯૮)  મળેલ હતી. કાર નદીના ભારે પ્રવાહમાં તણાય ગયેલ વિરેનભાઇ કાર લઇને નીકળ્યા ત્યારે ગ્રામ્યજનોએ તેમને આગળ નહીં જવા સમજાવેલ અને અહીં રોકાય જવા તથા બધી વ્યવસ્થા કરી આપશું તેમ જણાવેલ હતું છતાં વિરેનભાઇએ નહીં વાંધો આવે ઘેર પહોંચી જઇશું તેવો જવાબ આપ્યો હતો અને રોકાણા નહીં એક ટ્રક ચાલકે તેમને આગળ નહીં જવા અને રોકાઇ જવા સમજાવેલ હતું પરંતુ વિરેનભાઇ માન્યા નહોતાં. વિરેનભાઇ અને તેની સાથે રહેલ પરિવારના ૩ સભ્યોની હજુ શોધખોળ ચાલુ છે. વોટસએપ સહિત સોશ્યલ મીડિયામાં વિરેનભાઇની ભાળ મળે તો જાણ કરવા મેસેજ વહેતા મુકયા છે. નજીક ગામોમાં પણ પરિવરના બાકી સભ્યો ગુમ થયાની જાણ કરીને શોધખોળ ચાલી રહી છે.

(11:25 am IST)