Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

વાંકાનેર ભા.જ.પ. દ્વારા ભારતના ભુતપુર્વ વડાપ્રધાન વાજપાઇને શ્રધ્ધાંજલી અર્પીત

વાંકાનેર તા.૧: વાંકાનેરમાં ભુતપુર્વ વડાપ્રધાન ''ભારત રત્ન'' સ્વ. અટલબિહારી વાજપાઇને શ્રધ્ધાંજલી સભામાં શ્રધ્ધા સુમન અર્પણ કર્યા બાદ બીજા દિવસે સ્વ. વાજપાઇના આત્માકલ્યાણ અર્થે સવે રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વાંકાનેર ભા.જ.પ. દ્વારા અત્રેની લોહાણા મહાજનવાડીમાં ભારત રત્ન ભારતના ભુતપુર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલબીહારી વાજપાઇને શ્રધ્ધાંજલી અર્પણ કાર્યક્રમમાં ભા.જ.પ.ના સર્વે હોદેદારો અને જુદા-જુદા ક્ષેત્રના અગ્રણીઓએ શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

બીજા દિવસે વાંકાનેર શહેર યુવા ભા.જ.પ. દ્વારા અટલબીહારી વાજપાઇના આત્મા કલ્યાણ અર્થે અત્રેના દેવી પુજક વાસમાં સર્વે રોગ નીદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં ૮૪ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં ડો. પ્રદિપભાઇ ભલગામડીયાએ વિનામુલ્યે પોતાની સેવા આપી હતી. આ કેમ્પમાં શહેર યુવા પ્રમુખ રાજભાઇ સોમાણી, ચેતનગીરી ગોસ્વામી, રઘુરાજસિંહ ચુડાસમા, ક્રિપાલસિંહ સહિતના યુવા અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.(૧.૧)

(12:21 pm IST)