Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

સાવરકુંડલામાં અટલજીને શ્રધ્ધાંજલી અર્પણ

સાવરકુંડલાઃ પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેયીને શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજાયોઃ સ્વ.અટલ બિહારી વાજપેયીને શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ અત્રેની ગાંધી ધર્મશાળા ખાતે યોજાયેલ હતો. આ શ્રધ્ધા જંગી કાર્યક્રમમાં સર્વો જ્ઞાતી અને સર્વો રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેલ હતા. આ શ્રધ્ધાજંલી કાર્યક્રમ સાંસદ નારણભાઇ કાછડીયા પુર્વ કૃષિ મંત્રી વી.પી.વઘાસીયા સહકારી આગેવાન દિપકભાઇ માલાણી વિગેરે આગેવાનોએ સ્વ અટલ બિહારી વાજપેયીની જીવન ચરિત્ર કાર્યપધ્ધતી અને દેશ પ્રત્યેની લાગણી વિશે વિસ્તૃત ખ્યાલ આપેલ હતો. અને ઉપસ્થિત તમામ આગેવાનોએ દુઃખ સાથે શ્રધ્ધાજંલી આપી હતી. આ પ્રસંગે સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, પૂર્વ મંત્રી વી.વી.વઘાસીયા, જીલ્લા ભાજપ પ્રમુખ હીરેનભાઇ હીરપરા, જીલ્લા ભાજપ મહામંત્રી કમલેશ કામાણી, રવુભાઇ ખુમાણ, દીપકભાઇ માલાણી, વલ્લભભાઇ ઝીંઝુવાડીયા, મનજીભાઇ તળાવીયા, કેશુભાઇ વાઘેલા, પુનાભાઇ ગજેરા, જયસુખભાઇ નાકરાણી, એ.બી.યાદવ, રામદેવસીંહ ગોહીલ, અરવીંદ મેવાડા, રાજુભાઇ દોશી, રાજુભાઇ શીંગાળા, માણાભાઇ, મહેશભાઇ સુદાણી, પ્રવીણભાઇ હોટીલા, પ્રવીણભાઇ સાવજ, ચીરાગભાઇ હીરપરા, સંજયભાઇ બરવાળીયા, નીતીનભાઇ (), હરેશભાઇ ભુવા, વીજયભાઇ ચાવડા, વીજયસિંહ વાઘેલા, કીશોર બુંદા, રાજુભાઇ માલવી, વીપુલભાઇ ઉનાવા, ઇસ્લાલભાઇ ગોરી, જગદીશભાઇ ઠાકોર, અરવીંદભાઇ માંગુકીયા, કાનાભાઇ મશરૂ, દીપકભાઇ ગાંધી, નારણભાઇ મેર, વાલાભાઇ સાટીયા, અશોકભાઇ વીરાણી, મંજુલાબેન પીત્રોડા, નીરૂબેન જોષી, શરદભાઇ પંડયા, બબુભાઇ ખુમાણ, પ્રતાપભાઇ ખુમાણ, જગદીશ કાળીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર.અહેવાલઃ ઇકબાલ ગૌરી-સાવરકુંડલા)(૨૩.૨)

(12:19 pm IST)