Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

મોડી રાત્રે ૪૩ મામલતદારોની બદલીનો ગંજીપો ચીપતી સરકારઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ૧૪ બદલાયા

જસદણ મામલતદાર ઝાલા ધારીમાં મુકાયાઃ તાકીદે ચાર્જ સંભાળી લેવા આદેશો

રાજકોટ તા. ૧ :.. રાજયના મહેસુલ ખાતાએ મોડી રાત્રે ૪૩ મામલતદારની બદલીના ઓર્ડરો કરી તાકીદે તેમની નવી જગ્યાએ ચાર્જ સંભાળી લેવા આદેશો કર્યા છે.

આ ઓર્ડરોમાં સૌરાષ્ટ્ર-કચ્છના ૧૪ અધિકારીઓનો સમાવેશ થાય છે, રાજકોટ જીલ્લાના જસદણના મામલતદાર પી. કે. ઝાલા ધારી ખાતે મુકાયા છે.

આ ઉપરાંત - ગાંધીધામના અસારી-કચ્છ ચુંટણીમાં, અમદાવાદના પી. એમ. શાહ લીંબડીમાં, સાયલાનાં પી. બી. ચૌહાણ, વંથલીમાં, સુત્રાપાડાના મહાવદીયા સાયલામાં, વંથલીના બી. પી. ચવાણ, પાટણ ખાતે, ગીરગઢડાના કોરડીયા -રાણાવાવમાં, જૂનાગઢના ચીટનીશ એચ. કે. પરમાર -જામનગર, કોર્પોરેશનમાં, મેઘરજના નિનામા -શીહોરમાં, જામનગરના કે. ટી. પંડયા -જેસર ભાવનગરમાં, જેસરના પી. એમ. જાદવ -કાલોલ પંચમહાલમાં મૂકાયા છે. જયારે કોડીનારના આર. જે. દેસાઇ, કાલાવાડ-જામનગર, ધારીના આર. બી. ડાંગી, કચ્છ-માંડવી ખાતે, અને મહેસાણાના એસ. પી. વાણંદ -સુત્રાપાડા ગીર સોમનાથ ખાતે મુકવામાં આવ્યાનું ઉમેરાયું છે. (પ-૧૧)

 

(12:04 pm IST)