Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

મેંદરડાના દાત્રાણા ગામે નદીમાં ડુબી જવાથી પ્રૌઢનું મૃત્યુ

ગાયો ચરાવતા નદીમાં ખાબકયા'તા

જૂનાગઢ તા. ૧ : મેંદરડાના દાત્રાણા ગામે નદીમાં ડુબી જવાથી પ્રૌઢનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળેલ છે.

આ અંગેની વિગતો એવી છે કે મેંદરડા તાલુકાના દાત્રાણા ગામના જમનભાઇ ઉર્ફે જમનાદાસ મોહનભાઇ રાણોલીયા (ઉ.વ.૫૫) નામના પ્રૌઢ ગઇકાલે સાંજે પોતાની વાડીની બાજુમાં આવેલ ચરણીયામાં ગાયો ચરાવવા માટે ગયા હતા.

ગાયો નદીકાંઠે ચરતી હતી ત્યારે જમનભાઇનો પગ લપસી જતા તેઓ નદીમાં ડૂબી ગયા હતા. આ અંગેની જાણ થતાં તરવૈયાઓએ દોડી જઇ જમનભાઇને નદીમાં બહાર કાઢયા હતા.

તેમને મેંદરડા સીએચસી ખાતે સારવારમાં ખસેડાયા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.(

(11:44 am IST)