Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

જુલાઇમાં જામનગરમાં કોરોનાના નવા 500 કેસ વધ્યા : તહેવારો ઘરે રહીને ઉજવણી કરવા અને સાવચેતી રાખવા તંત્રની અપીલ

સતત સંક્રમણ ફેલાતા કેસની સંખ્યા વધતા હાલ ગંભીર પરિસ્થિતિ

જામનગરમાં પ્રથમ કેસ ૫ એપ્રિલના નોંધાયેલ હતો. જેમાં ત્યારબાદ સતત વધતા કેસનું મૂલ્યાંકન આ પત્રકમાં જોઈ શકાય છે કે સતત સંક્રમણ વધી રહ્યું છે અને તેના કારણે કેસની સંખ્યા વધતા હાલ ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ છે ત્યારે જિલ્લા વહીવટીતંત્ર તરફથી લોકોને અનુરોધ છે કે આવતી કાલથી શરૂ થતાં પર્વો બકરીઈદ અને ત્યારબાદ રક્ષાબંધનના રોજ લોકો સંયમપૂર્વક રહી પોતાના ઘરે રહી અને આ પર્વની ઉજવણી કરે તો જ આ સંક્રમણને અટકાવી આવનારા સમયમાં કોરોના મુક્ત જામનગર બનાવી શકાશે.
 

(10:06 pm IST)