Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

ભાવનગરમાં માનસીક બિમારીથી કંટાળી બ્લેડના કાપા મારીને હોસ્પિટલના પહેલા માળેથી કુદીને આપઘાત

ભાવનગર તા. ૧ : ભાવનગરની સરકારી સર ટી હોસ્પિટલના પહેલા માળેથી કુદકો મારી બીમારીથી કંટાળી ગયેલા દર્દીએ આપઘાત વહોરી લીધો હતો.

મળતી વિગતો મુજબ શહેરના વિદ્યાનગર વિસ્તારમાં ગાંધી કોલોની પ્લોટ નં. ૭૪માં રહેતા કાન્તીભાઇ નાનજીભાઇ મારૂ (ઉ.વ.૪૪)ને માનસિક બિમારી સબબ અત્રેની સર ટી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

આ દર્દીએ બીમારીથી કંટાળી જઇ પ્રથમ માળેથી નીચે ધુબાકો મારતા ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજ્યું હતું. આ દર્દીએ બ્લેડ વડે પોતાના શરીરે કાપા પણ પાડી નીચે ઝંપલાવ્યું હોવાનું જાણવા મળેલ છે.

આ બનાવ અંગે એ-ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.(૨૧.૯)

(12:04 pm IST)