Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

મોરબીમાં અગ્નિપથ યોજનાનો વિરોધ, કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરતા પોલીસે ડીટેઈન કર્યા

વિરોધ પ્રદર્શન કરતા ૨૦ કાર્યકરો ડીટેઈન કરાયા

મોરબી :  કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાની જાહેરાત કરાઈ ત્યારથી કોંગ્રેસ આક્રમક મૂડ સાથે વિરોધ કરી રહી છે જેમાં આજે મોરબી ખાતે યુવા કોંગ્રેસની આગેવાની હેઠળ યુવા કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો

     મોરબી યુવક કોંગ્રેસ દ્વારા આજે અગ્નિપથ યોજનાનો વિરોધ કરવામાં આવ્યો હતો શહેરના નહેરુ ગેઇટ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ, મનોજ પનારા, દેવેન્દ્રસિંહ જાડેજા, મુકેશભાઈ ગામી સહિતના આગેવાનો અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું તો વિરોધ કરી રહેલા કોંગ્રેસના ૨૦ કાર્યકરોને પોલીસે ડીટેઈન કર્યા હતા અને પોલીસ મથક લઇ જવામાં આવ્યા હતા.

(1:15 am IST)