Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

જુનાગઢમાં પૂર્વ મેયરના પુત્ર ધર્મેશભાઇ પરમારને જન્મદિન નિમિતે ફુલહાર વિધી કરાઇ

જુનાગઢના પૂર્વ મેયર લાખાભાઇ પરમારના પુત્ર મેયર લાખાભાઇ પરમારના પુત્ર ધર્મેશભાઇ પરમારની તાજેતરમાં હત્યા થતા શોક છવાયો છે. દલિત સમાજના નિષ્ઠાવાન અને લડાકુ નેતા તરીકે ધર્મેન્દ્રભાઇ પરમાર હજારો વ્યકિતને મદદરૂપ બન્યા હતા સમાજના દરેક પ્રશ્નોની આગેવાની લઇ વાંચા અપાવી હતી. તા.ર૯ના રોજ ધર્મેશભાઇ ૪૯વર્ષ પુર્ણ કરી પ૦માં વર્ષમાં પ્રવેશે તે પહેલા તેમનું અવસાન થતા પરમાર વાડી ખાતે ધર્મેન્દ્રભાઇને ફુલહારવિધિનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં લાખાભાઇ પરમાર, રાજુભાઇ સોલંકી, રાવણ પરમાર અને દલિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહી ધર્મેન્દ્રભાઇને ફુલહાર અર્પણ કરી ભાવ વ્યકત કર્યો હતો.(અહેવાલઃ વિનુ જોષીઃ તસ્વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)

(12:50 pm IST)