Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ભાવનગર : આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ

ભાવનગર : રાજયકક્ષાએ માન.મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં આંગણવાડીના ૩-૬ વર્ષની વયજૂથના બાળકો માટેનો ગણવેશ વિતરણ કાર્યક્રમ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજયભરમાં યોજાયેલ હતો. જેમાં ભાવનગર જિલ્લાકક્ષાએ ભરતસિંહજી ગોહિલ, પ્રમુખ જિ.પં. ભાવનગરના અધ્યક્ષસ્થાને કલેકટર, અધિક કલેકટર, શિક્ષણ સમિતીના ચેરમેન, તા.પં.પ્રમુખ, તા.પં. ઉપપ્રમુખ અને પદાધિકારીઓ તેમજ જીલ્લાકક્ષાએથી નાયબ જીલ્લા વિકાસ અધિકારી પ્રોગ્રામ ઓફીસર, મહિલા અને બાળ અધિકારીશ્રીની પ્રેરક ઉપસ્થિતી અને તાલુકાકક્ષાએથી સીડીપીઓશ્રીની પ્રેરક ઉપસ્થિતીમાં આઇસીડીએસ શાખા દ્વારા વિડીયો કોન્ફરન્સ હોલ, કલેકટર કચેરી, ભાવનગર ખાતે કાર્યક્રમ યોજાયેલ હતો. પ્રોગ્રામ ઓફીસર જે.સી.ઠાકોર, આઇસીડીએસ શાખાના માર્ગદર્શન હેઠળ તાલુકા કક્ષાએથી સીડીપીઓશ્રી તેમજ જીલ્લાકક્ષાના આઇસીડીએસ કચેરીના સ્ટાફ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી. ગણેશ વિતરણ કાર્યક્રમની તસ્વીર.

(12:00 pm IST)