Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ઉના 'આપ' દ્વારા જનસંવેદના કાર્યક્રમ

ઉનાઃ ગીરગઢડા તાલુકામાં આમ આદમી પાર્ટી આયોજિત કોરોના થી મૃત્યુ પામેલ પરિવારો ના ગામોમાં જન સંવેદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ આ તકે દિલ્હી થી પધારેલ ગુલાબ સિંહ યાદવ, પાર્ટી અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલિયા, પાર્ટી નેતા ઈશુદાંનભાઈ ગઢવી, સૌરાષ્ટ્ર સંગઠન મંત્રી નિમિષાબેન, હરેશભાઈ બલદાનિયા, અશ્વિનભાઈ વિગેરે આગેવાનોએ કાર્ય ક્રમની શરૂઆત સોમનાથ દાદાની પૂજા વિધિ કરીને કરવામાં આવી અને તાલુકાના સિમાસી, પાલડી, નગડિયા, વાંકિયા, મોટા સમઢિયાળા, વડવિયાલા, જામવાળા ગામે મુલાકાત કરીને કોરોનાકાળમાં મૃત્યુ પામેલ લોકોને શ્રધ્ધાંજલી પાઠવી અને નગડિયા ગામે રાત્રિ રોકાણ દરમ્યાન અને વડવિયાળા ભોજન દરમ્યાન અનેક લોકો ભાજપ કોંગ્રેસ સાથે છેડો ફાડીને કાર્યકરો આમ આદમી પાર્ટીમા જોડાયા જેમાં પાલડી સરપંચ કમલેશભાઈ પણ ભાજપને અલવિદા કરીને આપ માં વિધિવત રીતે જોડાય ગયા છે. જનસંવેદના કાર્યક્રમમાં પૂજાવિધિ કરી તે તસ્વીર.

(11:52 am IST)