Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

સમીસાંજે ગાંધીધામના ભારતનગરમાં યુવકની છરીના ઘા ઝીકી નિર્મમ હત્યા

મૃતક મૂળ રાજસ્થાની યુવક એકાકી જીવન જીવતો હતો :બહેન પર કથિત કુદ્રષ્ટિ કરી હોય ઝઘડો કરી ભરત ફ્ફ્લે છરી વડે ગળું વેતરી નાખ્યું

ગાંધીધામઃ ગાંધીધામના ભારતનગરમાં 45 વર્ષના યુવકની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા થઇ છે  ધમધમતા વિસ્તારમાં સમી સાંજે હત્યાનો ગુનો બનતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ મરનાર સુરેશ કશ્યપ મૂળ રાજસ્થાનનો વતની હતો અને ભારતનગરમાં એકાકી જીવન જીવતો હતો. સુરેશ ઘરે જ ગેરેજનું કામકામ કરી પેટિયું રળતો હતો.

  આજે સાંજે નજીકમાં રહેતાં ભરત ફફલ નામના યુવકે તેની સાથે ઝઘડો કરી છરી વડે ગળું વેતરી નાખી હત્યા કરી હતી

 આરોપી ભરતની બહેન પર સુરેશે કુદ્રષ્ટિ કરી હોવાના કારણે બેઉ વચ્ચે ઝઘડો થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સપાટી પર આવ્યું છે. પોલીસે આરોપીને રાઉન્ડ અપ કરી લઈ સઘન તપાસ હાથ ધરી છે. ઘટનાના પગલે એ ડિવિઝનના મહિલા પોલીસ ઈન્સ્પેક્ટર સાગઠિયા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે અને પંચનામું-ફરિયાદ નોંધવા સહિતની કામગીરી હાથ ધરી છે.

 

(8:42 pm IST)