Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

જામનગરમાં કોરોનાએ કહેર વર્તાવ્યો :તસવીરકાર કિંજલ કરસરિયાં સહીત આઠ કોરોના પોઝિટિવ : શહેરમાં કુલ કેસની સંખ્યા 176 થઇ

જામનગર : જામનગરમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે જાણીતા તસવીરકાર કિંજલ કરસરિયાં સહીત વધુ આઠ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે જેમાં 35 વર્ષીય મીરલ મહેતા (રહે, 302 શુભ આવાસ હરિયા સ્કૂલ પાસે,) જીગ્નેશ ગોવિંદભાઇ ભટ્ટ ( ઉ,વ, 33 ) (રહે, બી -206 ગ્રીન રેસિડન્સી ક્રિષ્ના સ્કૂલ પાસે ખોડિયાર કોલોની),અને લક્ષ્મીબેન લાભશંકર જોશી ( ઉ,વ, 44 ( રહે, દિગ્વિજય પ્લોટ, શંકર ટેકરી નહેરુ નગર ), મીનાબેન રાજેશભાઈ પરમાર,(ઉ,વ, 43 ) ( રહે, મોહનનગરના ઢાળીયા આવાસ યોજના ન, 803,),કિંજલ કાનજીભાઈ કરસરિયાં (,ઉ,વ, 34 ) ( રહે, મહેશનગર સત્યમ કોલોની રોડ રામકૃષ્ણ સોસાયટી),નિલેશભાઈ હીરાભાઈ ઠાકરાલ (ઉ,વ, 51 ) ( રહે, રણજીતનગર એ-10 ફ્લેટ ન, 109 ) ,ઇસ્માઇલભાઈ હારૂનભાઇ ગોરી, ( ઉ,વ, 46 ) ( રહે, ચમન સોસાયટી રોઝી સ્કૂલ પાસે શાહ પેટ્રોલ પમ્પની સામે અને રાધિકા અંકુશ શાહ ( ઉ,વ, 30 ) ( રહે, મધુવન ઇન્દિરા સોસાયટી ) નો રિપોર્ટ પીઝોઇટિવ આવેલ છે

આ સાથે જામનગરમાં કુલ કેસની સંખ્યા 176 થઈ છે જેમાં 89 89 સારવાર હેઠળ છે જેમાંથી 83 દર્દીઓને ડિસચાર્જ કરાયા છે

(6:15 pm IST)