Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

સત્તાધારમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવ મોકૂફ

ભાવિકો ઘરમાં રહીને ગુરૂપૂજન કરેઃ પૂ.વિજયબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુની અપીલ

રાજકોટ,તા.૧: કરોડો ભાવિકોની આસ્થાના ધામ આપાગીગાની જગ્યા- સત્તાધાર ધામમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવ મોકૂફ રખાયો છે.

સત્તાધારના મહંત પૂ.વિજયબાપુ ગુરૂ શ્રીજીવરાજબાપુએ જણાવ્યું હતું કે, વર્તમાન મહામારીના કારણે સરકારશ્રીની ગાઈડ લાઈન પ્રમાણે તા.૫/૭ના રવિવારે યોજાનાર ગુરૂપૂર્ણિમા મહોત્સવ મોકૂફ રાખવા નિર્ણય કરાયો છે.

પૂ.વિજયબાપુએ જણાવ્યું હતું કે, ભાવિકો ઘરે સુરક્ષિત રહે અને ગુરૂ પૂજન કરે તેવી વિનંતી છે. આપાગીગા આપણાં બધાં પર કૃપા વરસાવે તેવી પ્રાર્થના કરીએ છીએ.

સરકારશ્રીની ગાઈડ લાઈન પ્રમાણે સત્તાધાર આપાગીગાની જગ્યામાં ઉતારા તથા પ્રસાદની વ્યવસ્થા પણ બંધ રાખવામાં આવી છે.

(1:00 pm IST)