Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

ગીર સોમનાથ જિલ્લાના ૮ ગામોને પાણી પુરૂ પાડવા મંજુરી

પ્રભાસ પાટણઃગીર-સોમનાથ જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન, ઈણાજ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજઈ હતી. આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાના ૦૮ ગામોને પાણી પુરૂ પાડવા માટે રૂ. ૧૨૫.૦૩ લાખની વહીવટી મંજુરી આપવામાં આવી હતી.ઉના તાલુકાના વાસોજ, ગીરગઢડા તાલુકાના બોડીદર, તાલાળા તાલુકાના ગાભા, સુત્રાપાડા તાલુકાના સુત્રાપાડા બંદર, વેરાવળ તાલુકાના દેદા, બોળાસ, ડારી ગામને પાણી પુરૂ પાડવામાં આવશે. તેમજ ૧૭૧૦ દ્યરોમાં નળ કનેકશન આપવામાં આવશે. આ પ્રસંગે વાસ્મો યુનિટ મેનેજરશ્રી વી.એન.મેવાડા, જિલ્લા કોર્ડીનેટર અલ્કા મકવાણા, માહિતી ખાતાના અનવરભાઇ સોઢા, ટેકનિકલ મેનેજર મુકેશભાઈ બલવા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. બેઠક મળી તે તસ્વીર.(તસ્વીર :દેવાભાઈ રાઠોડ પ્રભાસ પાટણ)

(11:42 am IST)