Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરીના કર્મચારી વિક્રમસિંહ ઝાલાને નિવૃતિ વિદાયમાન અપાયું

સુરેન્દ્રનગર,તા.૧:સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી ખાતે  વર્ગ-૪ તરીકે ફરજ બજાવતા કર્મચારીશ્રી વિક્રમસિંહ ઝાલા તા.૩૦/૦૬/૨૦૨૦ના રોજ વયનિવૃતિ થતા માહિતી પરિવાર સુરેન્દ્રનગર દ્વારા સૌરાષ્ટ્ર ઝોનના સંયુકત માહિતી નિયામકશ્રી આર.આર.રાઠોડની અધ્યક્ષતામાં  નિવૃતિ વિદાય સમારોહ યોજાયો હતો.

 નિવૃતિ વિદાય સમારોહ પ્રસંગે સંયુકત માહિતી નિયામકશ્રી આર.આર.રાઠોડે શ્રી ઝાલાની  સરકારી સેવાને બિરદાવતા જણાવ્યું હતું કે, શ્રી ઝાલાએ તેમના કાર્યકાળ દરમિયાન તેમની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી છે, એટલુ જ નહી પરંતુ તેમના મિલનસાર સ્વભાવના કારણે તેમણે સમગ્ર કચેરીના સ્ટાફમિત્રોની  ચાહના પણ મેળવી છે. સંયુકત માહિતી નિયામકશ્રીએ આ તકે શ્રી વિક્રમસિંહ ઝાલાને નિવૃતિ બાદનું જીવન આરોગ્યપ્રદ અને તેમના પરિવાર સાથે શાંતીથી પસાર થાય તેવી શુભકામના પાઠવી હતી.

આ પ્રસંગે  નાયબ માહિતી નિયામકશ્રી એચ.બી.દવેએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યુ હતુ કે, શ્રી ઝાલાએ તેમની સરકારી ફરજના સમયગાળા દરમિયાન બધા સ્ટાફમિત્રો સાથે હળી-મળીને નિષ્ઠાપુર્વક ફરજ બજાવી છે. વધુમાં તેમણે શ્રી ઝાલાને નિવૃત્ત્િ। બાદ તેમનુ જીવન સ્વસ્થ અને નિરોગી રહે તેવી શુભકામના પણ પાઠવી હતી. 

આ તકે સંયુકત માહિતી નિયામકશ્રી આર.આર. રાઠોડ દ્વારા વયનિવૃત થયેલ શ્રી વિક્રમસિંહ ઝાલાનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતુ. તેમજ શ્રી ઝાલાને નાયબ માહિતી નિયામકશ્રી એચ.બી.દવે તથા કર્મચારીગણ દ્વારા સ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માહિતી પરિવારના કર્મયોગીઓ સર્વશ્રી એસ.જી. આલ, આર.એ.ડેલા, બી.એલ.જાદવ,  સંજયસિંહ ચાવડા,  એ.એસ.બલોલીયા, આર.ડી.રાણા, જે.એચ.પરમાર, જી.એમ.ટોળીયા, આર.એચ.પરમાર, અજય મહેતા, રદ્યુભા વાદ્યેલા, અનુપસિંહ પરમાર,એચ.એસ. ખોખરે વિક્રમસિંહ ઝાલાને શુભેચ્છા પાઠવી હતી.

(11:32 am IST)