Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

નશો કર્યા બાદ ભાન ભુલી ભરતભાઇએ ફાંસો ખાઇ લીધોઃ દિકરી જોઇ જતાં જીવ બચી ગયો

મોરબીના ઇન્દિરાનગરના યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧: મોરબીના ઇન્દિરાનગર ખોડિયાર ચોકમાં રહેતાં ભરતભાઇ બાબુભાઇ દાફડા (વણકર) (ઉ.વ.૪૦) નામના યુવાને સાંજે ઘરમાં પંખા સાથે દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લેતાં તે વખતે જ તેની નાની દિકરી મનિષા રૂમમાં આવી જતાં તેણે દેકારો મચાવતાં ઘરના સભ્યો ભેગા થઇ ગયા હતાં અને ભરતભાઇને બચાવી લઇ મોરબી હોસ્પિટલમાં ખસેડ્યા હતાં.

વધુ સારવાર માટે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં ચોકીના હેડકોન્સ. વાલજીભાઇ નિનામાએ મોરબી પોલીસને જાણ કરી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર ભરતભાઇ કડીયા કામની મજૂરી કરે છે. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. તેણે કહ્યું હતું કે પોતાને નશો કરવાની ટેવ છે. ગત સાંજે પીને ઘરે આવ્યા બાદ ભાન ભુલતાં આ પગલુ ભરી લીધું હતું. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(11:31 am IST)