Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

મોરબીમાં ટ્રાફિક જવાનોને રેઇનકોટ

મોરબીઃ યુવા અગ્રણી અજયભાઈ લોરિયા શહીદ જવાનોના પરિવારને આર્થિક મદદ તથા સામાજિક કાર્યોમાં હમેશા તેઓ અગ્રેસર છે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને  ટ્રાફિક જવાનો પરેશાન ના થવું પડે તેવા હેતુથી રેઇનકોટ વિતરણ કરવામાં આવ્યું હતું અજયભાઈ લોરિયાએ પોલીસ મથક ખાતે પહોંચીને ટીઆરબી સહિતના ૭૫ ટ્રાફિક જવાનોને રેઇનકોટ અર્પણ કર્યા હતા જે પ્રસંગે એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરી, ટ્રાફિક પીએસઆઈ બી વી ઝાલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને અજય લોરિયાની સરાહનીય કામગીરીને બિરદાવી હતી. રેઇનકોર્ટ વિતરણની તસ્વીર. (તસ્વીર-અહેવાલઃ પ્રવિણ વ્યાસ મોરબી)

(11:30 am IST)