Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

પબુભા માણેક માફી માગે ધરણા

ઉપલેટામાં આંદોલનનો ૧૧ મો દિવસઃ ઉપવાસ કરવા જતા ત્રણની ધરપકડ

ઉપલેટા તા. ૧ : ઓખા મંડળના ભૂતપૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા મોરારીબાપુ ઉપર હુમલો કરવાનો પ્રયાસ કરતા તેમના ઘેરા પ્રત્યાઘાતો આહીર સમાજમાં પડેલા હતા પરંપરાગત રીતે આશરા ધર્મ માટે આપનાર આહીર સમાજ મોરારીબાપુ પર હુમલાનો પ્રયાસ થતા ઉપલેટાના આહીર યુવાન દ્વારા છેલ્લા ૧૧ દિવસ થયા આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે મયુર સોલંકીના ટેકામાંં ઉપલેટાના ૩ આહીર યુવકોએ બાપુના બાવલા ચોકમાં ઉપવાસ આંદોલન શરૂ કરતા ભાવિકભાઇ માલદેભાઇ ગોજીયા, લખમણભાઇ મનોજભાઇ ચુડાસમા, જંતીભાઇ કાનાભાઇ ચંદ્રવાડીયાની પોલીસે ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી કરેલ હતી.

(11:20 am IST)