Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

ભાવનગર જિલ્લામાં કોરોનાએ વધુ એકનો ભોગ લીધો

પાલીતાણાના દુધાળના યુવકે અંતિમ શ્વાસ લેતા કુલ મૃત્યુઆંક ૯

ભાવનગર, તા. ૧ :. ભાવનગર જિલ્લામાં કોરોનાએ વધુ એક યુવકનો ભોગ લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના દુધાળ ગામના રહેવાસી રાજેશભાઈ પરસોતમભાઈ ધામેચા અમદાવાદથી આવ્યા બાદ તેને કોરોનાના લક્ષણો સાથે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં તેમનો રીપોર્ટ તા. ૨૯ના રોજ પોઝીટીવ આવતા કોરોનાની સારવાર શરૂ કરવામાં આવી હતી. આજે બપોરે આ યુવકનું ભાવનગરની સર ટી હોસ્પીટલમાં મોત થયુ છે.

ભાવનગર જિલ્લામાં કોરોનાથી વધુ એકનું મોત થતા અત્યાર સુધીમાં કોરોનાએ ૯ વ્યકિતઓનો ભોગ લીધો છે.

(4:24 pm IST)