Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

કોડીનારમાં 'આંતરરાષ્ટ્રીય કુદસ દિવસ' નિમિત્તે શિયા ઇસના અસરી જમાત દ્વારા રેલી કાઢી ઇઝરાઇલના અત્યાચારો વિરૂદ્ધ આવેદનપત્ર

કોડીનાર, તા. ૧ : મુસલમાનોના પેહલા કીબલા મસ્જીદે અકસા અને પેલેસ્ટાઇન ઉપર ઇઝરાઇલ દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર કબ્જા અને ત્યાં અવારનવાર ઇઝરાઇલ દ્વારા આચરાતા અત્યાચાર અને બેહરિનના નાગરિકો અને શેખ ઇશા કાસીમ પર થતા જુલ્મ અને નાઇજિરિયામાં શેખ ઇબ્રાહીમ ઝકઝકીને સરકાર દ્વારા ગેરકાયદેસર રીતે કેદ કરવાના બનાવ સહિત દુનિયાભરમાં થતા અન્યાય અને આંતકવાદનો વિરોધ કરવા કોડીનાર શિયા ઇસના અસરી જમાત દ્વારા 'આંતરરાષ્ટ્રીય કુદસ દિવસ' નિમિત્તે જુમાની નમાઝ પછી રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

શિયા સમાજ દ્વારા પાઠવાયેલા આવેદનપત્રમાં પેલેસ્ટાઇન અને મસ્જીદે અકસાને ઇઝરાઇલ યહૂદીઓના કબ્જામાંથી મુકત કરાવવા માગણી કરવામાં આવી હતી. આ તકે શિયા ઇસના અસરી જમાતના પ્રમુખ અબાજાન નકવીએ ક્રુર ઇઝરાઇલ દ્વારા પેલેસટાઇનીઓ ઉપર આચરવામાં આવતા અત્યાચારનો સખ્ત શબ્દોમાં વિરોધ વ્યકત કરી ઇઝરાઇલના અત્યાચારો બંધ કરાવવા અને મુસ્લિમોના પવિત્ર સ્થળ મસ્જીદે અકસા ને યહૂદીઓના કબ્જામાંથી મુકત કરાવવા માટે ભારત સરકાર કડક પગલા ભરી ઇઝરાઇલને પાઠ ભણાવે તેવી માંગણી સમગ્ર મુસ્લિમ સમાજ વતી અબાજાન નકવીએ કરી હતી.

આંતરરાષ્ટ્રીય કુદસ દિવસ નિમિત્તે યોજાયેલી આ મોન રેલીમા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતાં.

(11:36 am IST)